gujarat24

Sarangpur Hanuman Photos: પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંનજનદેવને 200 કિલો ફળ-ફુલોનો દિવ્ય શણગાર તથા સુખડીનો અન્નકૂટ, એવં હનુમાનજી દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન

Sarangpur Hanumanji: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ 18-09-2024ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને મોતીના વાઘા તેમજ સિંહાસનને ફળ-ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

પૂનમ નિમિત્તે સાંજે 05:30 કલાકે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે 7:00 કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી 7:00 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીદ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, પૂનમ નિમિત્તે આજે દાદાને સફેદ હંસની થીમવાળા વાઘા અને સિંહાસને ફળ-ફુલનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસને 200 કિલો એન્થોરિયમ, ગુલાબ, સફરજ અને દાડમનો શણગાર કરાયો છે. આ તમામ ફુલ અને ફ્રુટ વડોદરાથી મંગાવ્યા છે. તો દાદાને આજે 300 કિલો સુખડીનો અન્નકુટ પણ ધરાવાયો છે.6 સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *