gujarat24

મંગળવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને 200 કિલો ગુલાબ અને એન્થોરિયમના ફુલનો દિવ્ય શણગાર કરાયો, જાણો કેટલા દિવસની મહેનતે તૈયાર થયા વાઘા

Sarangpur Hanuman Mandir: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 15-10-2024ને મંગળવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો.

આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 07:00 શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે મંગળવારના પવિત્ર દિવશે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 15 દિવસની મહેનતે બનેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે દાદાના સિંહાસને પંચરંગી ગુલાબ અને એન્થોરિયમના 200 કિલો ફુલનો શણગાર કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *