કેનેડામાં રહેતા સાત લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ આગામી વર્ષે દેશ છોડવો પડી શકે છે. કેનેડાની ટ્રુડો સરકારના એક જ નિર્ણયથી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર લટકી રહ્યું છે. ટ્રુડો સરકાર પ્રવાસીઓ બાબતે સખ્તાઈથી વર્તી રહી છે. આગામી વર્ષે પચાસ લાખ અસ્થાયી પરમિટ સમાપ્ત થઈ રહી છે જેમાંથી સાત લાખ પરમિટ વિદ્યાર્થીઓની છે. સરકારના કડક વલણથી આ વિદ્યાર્થીઓને ફરી પરમિટ મેળવવામાં સમસ્યા ઊભી થઈ શકે છે.
કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓને, આશા છે કે પરમિટ સમાપ્ત થતા મોટાભાગના વિદેશી પ્રવાસીઓ કેનેડા છોડી દેશે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્કમિલરે આસપ્તાહની શરૂઆતમાં જ આ જાણકારી આપી હતી. અસ્થાયી વર્ક પરમિટ સામાન્યપણે નવ મહિનાથી લઈને ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. આ વર્ક પરમિટથી ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા વિદેશી છાત્રોને કેનેડામાં કાયમી નિવાસની અરજી કરવા માટે જરૂરી અનુભવ મેળવવાની તક મળે છે. કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓના મતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડામાં નિવાસ માટેની અરજી કરી રહ્યા છે જે બાબત ચિંતાજનક છે. આથી આવી અરજીઓની સખ્ખતાઈ પૂર્વક ચકાસણી કરવામાં આવશે અને બોગસ અરજદારોને કાઢી મુકવામાં આવશે.